રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી: NDAએ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા, INDIA ગઠબંધનની બેઠક પણ શરૂ
- 05 Jun, 2024
મંત્રીમંડળે આજે મળેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને 17મી લોકસભાને તાત્કાલિક પ્રભાવથી ભંગ કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મેુ મંત્રીમંડળની સલાહને સ્વીકારી લીધી છે અને પોતાના પાવરનો ઉપયોગ કરીને 17મી લોકસભાને ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. એનડીએની આજે મળેલી બેઠકમાં ચદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, એકનાથ શિંદે, જીતન રામ માંજી, પવન કલ્યાણ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચિરાગ પાસવાન, કુમારસ્વામી, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી હાજર રહ્યાં હતા. નરેન્દ્ર મોદી એનડીએના સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સાંજે 7.45 કલાકે તમામ નેતાઓ રાષ્ટ્રપતિને મળી શકે છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની બેઠક પણ આ સમાચાર લખાઈ રહ્યાં છે, ત્યારે શરૂ થઈ ગઈ છે.
લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને 292 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. બીજેપી પોતાના દમ પર બહુમતીનો આંકડો પણ જીતી શકી નથી. એવામાં કેન્દ્રની સત્તા પર કબજો મેળવવા માટે બીજેપીએ સહયોગી દળની મદદ લેવી પડશે. આ ગઠબંધન સરકારમાં આંધ્ર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટો ચેહેરો અને વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ સીટ જીતનાર ચદ્રબાબુ નાયડુનું મોટો યોગદાન રહ્યું છે.
નાયડુની ટીડીપીએ 16 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. આ કારણે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએ સરકારને સમર્થન આપનારા ચંદ્રબાબુ નાયડુની સરકારમાં મોટો હિસ્સો માંગી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ કહેવાઈ રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા સ્પીકર પદને લઈને રહેશે. તો ચાલો જાણીએ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ક્યાં મંત્રાલયોની માંગ કરી શકે છે, તે અંગે વિગતે જાણીએ.
નરેન્દ્ર મોદીને જો વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હશે તો તેમને ચંદ્રબાબૂ નાયડૂ અને નીતીશ કુમારનો સાથ જોઈશે. આ સ્થિતિ એટલા માટે સર્જાઈ છે કે અગાઉ વર્ષ 2014 અને 2019માં બીજેપી બહુમતી માટે જરૂરી 272નો આંકડો વટાવી ગઈ હતી. જોકે આ વખતે તે આ આંકડાને પાર કરી શકી નથી. 543 સીટો ધરાવતી લોકસભામાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 272 સીટો જરૂરી છે. બીજેપીની પાસે 240 સીટો તો હાલ છે. જોકે એનડીએની પાસે 292 સીટ છે, જે બહુમતી કરતા 20 વધુ છે.
એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભાજપ છે. આ પછી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) છે, જેના 16 સાંસદો છે. ત્રીજા નંબર પર નીતિશ કુમારની JDU છે, જેની પાસે 12 બેઠકો છે. એટલે કે નાયડુ અને નીતિશના કુલ 28 સાંસદો છે. તેથી એનડીએ સરકારના અસ્તિત્વ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બંનેનું સમર્થન ખૂબ જ જરૂરી છે.અત્યાર સુધી ટીડીપી અને જેડીયુ બંને એનડીએ સાથે હોવાની વાત કરી રહ્યા છે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને એનડીએની બેઠકમાં ભાગ લેશે.એન ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંનેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ રહ્યા છે. બંનેએ એનડીએ છોડી દીધું હતું અને લોકસભા ચૂંટણી પહેલા જ ગઠબંધનમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના પીએમ મોદી સાથે કેવા સંબંધો છે.